• Home
  • સમાચાર
  • અમરેલી માર્કેટયાર્ડમાં મોટી દુર્ઘટના, 5 મજૂર દટાયા
Image

અમરેલી માર્કેટયાર્ડમાં મોટી દુર્ઘટના, 5 મજૂર દટાયા

Breking News : અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો દટાયા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયાના સમાચાર આવી રહ્યા છે. તો અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહા મહેનતે બોરીઓની નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં દબાયા 5 શ્રમિકો

અમરેલી : નવા માર્કેટ યાર્ડમાં 5 શ્રમિકો દબાયા છે. વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતા દુર્ઘટના બની છે. 5 પૈકી એક શ્રમિકનું મોત, અન્ય 4ને ઇજા પહોંચી છે. શ્રમિકોને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ઘઉંની બોરીઓ ની થપી ધસી પડતા 5 મજૂરો દબાયાપ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે શ્રમિકો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. ત્યારે અકસ્માતે ઘઉંની બોરીઓ ધસી પડતા 5 મજૂરો દબાયા હતા. જેમાં 1 નું મોત નિપજ્યું છે જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે.

જ્યારે જયંતીભાઈ ભેસાણીયા, વિપુલ ભાઈ ગોહિલ, ધનસુખભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના 4 મજૂરોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો હતો.

આ પણ જુઓ : ડુંગળીના વાવેતરમાં 50%નો ઉછાળો આવતા મહિનામાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે

આ પણ જુઓ : ટામેટાના બજારમાં તેજી ચાલુ છે આવક, ભાવ અને તેજી મંદીનો અહેવાલ જાણો

Releated Posts

ગુજરાત સરકારની મોટી જાહેરાત: હવે ખેડૂતોને મળશે ₹5,000 સહાય અને 75% સબસિડી – જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારની મોટી જાહેરાત Gujarat Organic Farming Subsidy 2025: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે…

ByByIshvar PatelAug 5, 2025

બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત

‎સૌથી મોટી દુર્ઘટનાના દ્રશ્યો ‎આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો ‎મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો ‎આણંદ…

ByByIshvar PatelJul 9, 2025

અખાત્રીજ નું ધાર્મિક મહત્વ | અખાત્રીજ શા માટે ઉજવવામાં આવે છે?

દેશના ઘણા ભાગોમાં અખાત્રીજને ‘અક્ષય તૃતીયા’ પણ કહેવામાં આવે છે. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં…

ByByIshvar PatelApr 30, 2025

Wayanad Landslides News : બે દિવસનો શોક, મૃત્યુઆંક 84 પર પહોંચ્યો

વાયનાડ અકસ્માત : કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતમાં અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. સાથે 400થી વધુ લોકો…

ByByIshvar PatelJul 30, 2024